કબીર ભજનાવલી

………

……….

(૯)

હંસા યહ પિંજરા નહિં તેરા.

હંસા યહ પિંજરા નહિં તેરા.

માટી ચુન ચુન મહલ બનાયા, લોગ કહૈં ઘર મેરા,

ના ઘર મેરા ના ઘર તેરા, ચિડિયા રૈનિ બસેરા…

બાબા દાદા ભાઈ ભતીજા, કોઈ ન ચલે સંગ તેરા,

હાથી ઘોડા માલ ખજાના, પરા રહૈ ઘન ઘેરા…

માતુ પિતા સ્વારથ કે લોભી, કહતે મેરા મેરા,

કહૈં કબીર સુનો ભાઈ સાધો, ઈક દિન જંગલ ડેરા…

…………

હૈ બૌરે મનુષ્યો! જે શરીરને માટે તમે મિથ્યા સ્ત્રી, પુત્ર, ધનાદિમાં આસક્ત રહો છો, તે જ્ઞાન ધ્યાનાદિના સાધન રૂપ આ અમુલ્ય શ્રેષ્ઠ માનવ શરીર પણ આપણું નથી. જે શરીરનું અભિમાન કરો છો, જેને પવિત્ર સમજો છો, તેને મર્યા પછી કોઈ અડકતું પણ નથી. આમ કોઈ શરીર વસ્તુતઃ પોતાની સાથે રહેવાનું નથી. છતાં પણ લોકો આ મારૂં ઘર છે, મારી સંપત્તિ છે, એમ મારૂં મારૂં કરીને મરી જાય છે, પણ કોઈ વસ્તુ સાથે જતી નથી તે સમજો. પિતા, દાદા, ભાઈ, ભત્રીજા આમ કોઈ સગા સંબંધીઓ પણ તારી સાથે આવવાના નથી. હાથી, ઘોડા, ધન, દૌલત બધું અહીંનું અહીં જ પડી રહેવાનું છે. માતા, પિતા પણ સ્વાર્થને કારણે કહે છે કે આ મારો પુત્ર છે કારણ કે વૃધ્ધાવસ્થામાં પુત્ર તેમની સેવા કરે, પણ અંત સમયે સગા સંબંધી કે ધન દૌલત કામ લાગતાં નથી અને છેલ્લે એક ને એક દિવસ “જંગલ ડેરા” એટલે કે મૃત્યુને પામવાનું જ છે, ચાહે રાજા, રંક, અમીર કે ફકીર હોય, તો પણ તે અમર રહેતા નથી. એટલા માટે શીઘ્ર ચેતો, રામને ભજો અને શરીર વિષયક આસક્તિને ત્યાગો. જ્ઞાની, મતિમાન પુરૂષ પાસે જઈ આ શરીરને, અનાત્મ, અપવિત્ર, અનિત્ય, દુઃખરૂપ જાણી, અભિમાન, આસક્તિથી રહિત થાઓ. અને વિવેક દ્રષ્ટિ દ્વારા આત્માને દેહથી અત્યન્ત જુદો જાણીને શોક મુક્ત થાઓ એ જ શ્રી કબીર સાહેબનો ઉપદેશ છે.

………………..

………….

(૧૦)

………….

Leave a comment